પોસ્ટ્સ

પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?

 પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે? ૨ સંજોગોમાં એન્કાઉન્ટર કરી શકે.. (૧) પોલીસ ખૂંખાર આરોપીને ધરપકડ માટે શોધતી હોય ત્યારે પોલીસ ઉપર જીવલેણ હુમલો આરોપી કરે ત્યારે સ્વબચાવમાં પોલીસ એન્કાઉન્ટર કરી શકે.. (૨) જ્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં હોય અને પોલીસના હથિયાર છીનવીને પોલીસ ઉપર હુમલો કરે ત્યારે પોતાનો જીવ બચાવવા માટે સેલ્ફ ડિફેન્સ માં પોલીસ એન્કાઉન્ટર કરી શકે.. ADVOCATE ARVIND PARMAR 

લોક અદાલતો કોર્ટ નથી- સુપ્રીમ કોર્ટે

 સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે લોક અદાલતો કોર્ટ નથી કેમ કે તે વિવાદની પતાવટ કરવા માટે કાનુની રીતે ન્યાય તોળતી નથી. આથી તેમના દ્વારા આપવામાં આવેલા પતાવટના આદેશને કાયદેસરની અદાલત સામે દાખલા તરીકે ટાંકીને સમાન ધોરણે વળતર ન માગી શકાય. નોઇડા ઓથોરિટીએ માર્ચ 1983માં એક જાહેરનામું બહાર પાડીને દાદરી તહેેસિલમાં આવેલી જમીનનું એધિગ્રહણ ઔદ્યોગિક વિકાસ માટે કર્યું હતું. નવેમ્બર 1984માં જમીનમાલિકોને ચોરસ મીટર દીઠ 20 રૂપિયાના ભાવે વળતર આપવામાં આવ્યું હતું. એ સમયે જમીન માલિકોએ વળતરના દર સામે કોઇ સવાલ કર્યા વિના વળતરને સ્વીકારી લીધું હતું. પરંતુ એક ફતેહ મોહમ્મદે આ એવોર્ડ સામે અરજી નોંધાવી હતી જેેનેે પગલે નોઇડા ઓથોરિટીએ 2016માં ચોરસ મીટરના 297 રૂપિયાના ભાવે વળતર આપવાનું ઠરાવ્યું હતું. આ રકમ લોકઅદાલતે 30 વર્ષ પૂર્વે અપાવેલા વળતર કરતાં પંદર ગણુ વધારે હતું. આ જોઇ અન્ય જમીનમાલિકોએ પણ અલ્હાબાદ વડી અદાલત સામે લોકઅદાલતનો આદેશ ટાંકીને તેના જેટલું જ વળતર મેળવવા માટે અરજી નોંધાવી હતી. પણ નોઇડાએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારતાં સુપ્રીમે નોઇડા ઓથોરિટીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. Advo...