પોસ્ટ્સ

પ્રેમી યુગલને રક્ષણ ન આપવા પર હાઈકોર્ટ નારાજ

 પ્રેમી યુગલને રક્ષણ ન આપવા પર હાઈકોર્ટ નારાજ, હાઈકોર્ટે પોલીસ અધિકારીઓના નામ પૂછ્યા પોલીસે પ્રેમી યુગલને સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યા બાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે એવા પોલીસ અધિકારીઓની માહિતી માંગી છે જેમણે પ્રેમી યુગલ દ્વારા સુરક્ષાની માંગણી કરતી અરજી પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. આ પ્રેમી યુગલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે તેઓએ તેમના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. જેના કારણે તેમને તેમના પરિવારના સભ્યોથી ખતરો છે. આવી સ્થિતિમાં, તેમના જીવન અને સ્વતંત્રતાની સુરક્ષા માટે તેમને સુરક્ષા પ્રદાન કરવાના આદેશો આપવા જોઈએ. અરજીની સુનાવણી દરમિયાન દંપતિના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે તેઓએ દસુહા પોલીસ સ્ટેશનમાં સુરક્ષા માટે અરજી કરી છે. તેની અરજી પર, પોલીસે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો કે તેણે પહેલા કોર્ટનો આદેશ લાવવો જોઈએ. આ અંગે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે જ્યારે હાઈકોર્ટમાં એક કેસમાં સરકારે ખાતરી આપી હતી કે રક્ષણ માંગનારાઓની અરજી પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તો આ કેસમાં કેવી રીતે ઈન્કાર કરવામાં આવ્યો. હાઈકોર્...

ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી...

 ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી... થોડા સમય પછી ગીરે આપનાર વ્યક્તિ ને વધારે પૈસાની જરૂર ઊભી થતા તે વ્યક્તિ ધ્વારા તે જમીન ગીરે રાખનાર વ્યક્તિ ને વેચાણ કરવામાં આવી...જમીન વેચાણ રાખનાર વ્યક્તિ જમીનનો ગીરા કરાર સ્ટેમ્પ પેપર પર લખાવી લે છે. પણ વેચાણ દસ્તાવેજ કરાવે તે પેહલા મુળ માલિક મૃત્યુ પામે છે....જમીન નકલમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ જ ચાલે અને ગળોતિયામાં ગીરે અને વેચાણ રાખનાર વ્યક્તિ નુ નામ ચાલે છે....હવે વેચાણ રાખનાર વ્યક્તિ ને પોતાના નામે જમીન કરવી હોય તો શું કાયૅવાહી કરવી પડે.....જમીન નામે થઈ શકે કે ના થઈ શકે..?....સિનિયર વકીલશ્રી જવાબ આપવા વિનંતી

ગુજરાત રાજયમાં દસ્તાવેજોના લખાણ સહિતની તમામ વિગતોની ઓનલાઈન એન્ટ્રી માટે ગત ૧ મેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે, આગામી તા. ૧૫ ઓગસ્ટથી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેને અમલી બનાવવામાં આવનાર છે.

 ગુજરાત રાજયમાં દસ્તાવેજોના લખાણ સહિતની તમામ વિગતોની ઓનલાઈન એન્ટ્રી માટે ગત ૧ મેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે, આગામી તા. ૧૫ ઓગસ્ટથી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેને અમલી બનાવવામાં આવનાર છે.  જેમાં દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી એપોઈન્ટમેન્ટ મેળવી સબ રજિસ્ટ્રાર સમક્ષ લખાણ ફિઝિકલ પણ રજૂ કરવાનું રહેશે. મિલકત વેચાણ, પાવર ઓફ એટર્ની, બક્ષિસ લેખ સહિત વિગેરે તમામ દસ્તાવેજોની નોંધણી માટે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે દસ્તાવેજોનું લખાણ અરજદારે જાતે જ ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી એપોઈન્ટમેન્ટ મુજબ નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જવાનું રહેશે.  સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે, ઈન્ડેક્સની નકલ, દસ્તાવેજોની નકલ લોકો ઓનલાઈન મેળવી શકે છે.  હવે, આ કચેરીઓમાં ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી જે દિવસે એપોઈન્ટમેન્ટ મળે ત્યારે જાતે દસ્તાવેજોની નકલ લઈને જવાનું રહેશે. એપોઈન્ટમેન્ટ મેળવી સબ રજિસ્ટ્રાર સમક્ષ લખાણ ફિઝિકલ પણ રજૂ કરવાનું રહેશે. આ અંગે અરજદારો રાજ્ય સરકારની નવા વેબ પોર્ટલ પર અરજદારે લોગ ઈન કરી વિવિધ વિગતો એન્ટ્રી કરવ...

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો.

 બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. આ અંગેની સુનાવણી 2 અઠવાડિયાં પછી થશે. જ્યારથી બિલ્કિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી ઘણી મહિલાઓનો સવાલ હતો કે કાયદા અને બળાત્કાર સંબંધિત અન્ય માહિતી વિશે પણ વિગતવાર માહિતી જણાવો. 2020ના આંકડા પર નજર નાખીએ તો... દેશમાં દરરોજ બળાત્કારના 77 કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં સૌથી વધુ બળાત્કારના કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશ બળાત્કારના કેસમાં બીજા નંબરે હતું. 3,71,503 ઘટનામાં મહિલા વિરુદ્ધ ગુના નોંધાયા હતા. સવાલ : જો કોઈ છોકરી પર બળાત્કાર થાય છે, તો કાયદાની દૃષ્ટિએ તેની પાસે કયો વિકલ્પ છે? જવાબ: ભારતીય દંડસંહિતા, એટલે કે IPCમાં બળાત્કારીઓ માટે સજા નક્કી કરવામાં આવી છે. પીડિતા તે વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે. આ બાદ બળાત્કારી પર કાર્યવાહી કરવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે અને પછી સજા કરવામાં આવશે, પરંતુ સૌથી જરૂરી છે કે મહિલાએ આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે.   સવાલ : શું કોઈ સામાન્ય મહિલા પણ બળાત્કારીઓને છોડવાના નિર્ણયને પડકારી શકે છે? જવાબ: હા, મહિલાઓ પણ...

ભારતીય ફોજદારી ધારો (IPC)

1.પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? 201 2.શું મૃત્યુ પામેલ વ્યક્તિની બદનક્ષી થઈ શકે ? હા 3.ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? પાંચ 4.હુલ્લડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ? પાંચ 5.શું ચોરીના ગુનામાં ભયનું તત્વ હોય છે ? ના 6.ચોરીના ગુનામાં શું ભળતા તે લૂંટમાં પરિણમે છે ? ભય અને બળ 7.ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકારો છે ? ત્રણ , ગુપ્ત રીતે ગૃહપ્રવેશ , રાત્રે ગૃહપ્રવેશ , ઘર ફોડવું 8.અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 228 9.ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગેરકાયદેસર મંડળીના પ્રત્યેક સભ્યને ગુના માટે જવાબદાર ગણવામાં આવે છે ? 149 10.રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 153-બી #advocatemitra #advarvind 

cr.p.c-ની કલમ - 160- સાક્ષીઓની જરૂરી હાજરી માટે પોલીસ અધિકારીની સત્તા.

 Cr.p.c-ની કલમ - 160- સાક્ષીઓની જરૂરી હાજરી માટે પોલીસ અધિકારીની સત્તા.-        કોઈ પણ પોલીસ અધિકારી કે જે કેસની તપાસ કરી રહ્યા હોય તે અધિકારી જે તે કેસમાં સબધિંત સાક્ષીઓ ને જરૂરી તપાસ માટે લેખિતમાં નોટિસ આપીને જે તે વ્યક્તિને પોલીસ અધિકારી પોતાના પોલીસ સ્ટેશન ની હદમાં અથવા નજીકની હદના પોલીસ સ્ટેશનની હદમાં હોય તેવા વ્યક્તિને કેસની હકીકત અંગે પૂછપરછ માટે બોલાવી શકે છે.         પરંતુ ૧૫ વર્ષ થી ઓછી ઉંમરના પુરુષને અને સ્ત્રી ને     પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહિ તેમજ આવા સાક્ષીને તેમના નિવાસસ્થાને જઈને પોલીસ જરૂરી પૂછપરછ કરી શકે છે.       લેખિતમાં નોટિસ આપ્યા વગર કોઈ પણ વ્યક્તિને સાક્ષી તરીકે પૂછપરછ માટે પોલીસ બોલાવી શકે નહિ. #advocatemitra #advarvind

પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?

 પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે? ૨ સંજોગોમાં એન્કાઉન્ટર કરી શકે.. (૧) પોલીસ ખૂંખાર આરોપીને ધરપકડ માટે શોધતી હોય ત્યારે પોલીસ ઉપર જીવલેણ હુમલો આરોપી કરે ત્યારે સ્વબચાવમાં પોલીસ એન્કાઉન્ટર કરી શકે.. (૨) જ્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં હોય અને પોલીસના હથિયાર છીનવીને પોલીસ ઉપર હુમલો કરે ત્યારે પોતાનો જીવ બચાવવા માટે સેલ્ફ ડિફેન્સ માં પોલીસ એન્કાઉન્ટર કરી શકે.. ADVOCATE ARVIND PARMAR